છેલ્લી વાર તમે કૂડા-કચરાની શોધમાં ક્યારે નીકળ્યા હતા? અટપટી વાત લાગી ને? તો મળો અરુણ કૃષ્ણમૂર્તિને જે ગૂગલમાં નોકરી કરતાં કરતાં પુષ્કળ પૈસા કમાઈને બહુ આરામદાયક જીવન જીવી રહ્યો હતો. એક વખત તેણે નહેરમાં કચરો જોયો અને નક્કી કર્યું કે આનું કશુંક નિરાકરણ કરવું જોઈએ.
આ વિચાર બાદ ચેન્નાઈના અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલની નોકરી છોડી દીધી અને પોતાનું જીવન પર્યાવરણને સમર્પિત કરી દીધું. અત્યાર સુધીમાં તેણે દેશના 14 રાજ્યોમાં આવેલા 93 જેટલા સરોવરો કે નહેરની સફાઇ કરી છે.
એક માણસે શરુ કરેલી સફરમાં પર્યાવરણપ્રેમીઓ જોડાતા ગયા અને આજે તે સંસ્થા એન્વાયર્મેન્ટલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નામે જાણીતી છે. આ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેણે વર્ષ 2007થી માંડીને અત્યાર સુધીને કેટલાય સરોવરોની સ્વચ્છતાનું ભગીરથ કાર્ય કર્યું છે.
પાણીમાં ગંદકીના પ્રશ્ન માટે કૃષ્ણમૂર્તિ હંમેશા બહુ જ સચેત અને ગંભીર હતા. કદાચ એટલે જ આ કામ માટે તેઓ પોતાની નોકરી પણ બહુ સહજતાથી છોડી શક્યા. ચેન્નાઈમાં જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી ત્યારે તેમને ઘણી ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાએ પણ સહકાર આપ્યો. આમ પણ આ સંસ્થા ઘણી જગ્યાએ કામ કરે છે પણ તેમને જરૂરી ફંડિંગ નથી મળતું. સ્થાનિક સરકારનો સહકાર એ તેમના માટે સૌથી મોટી મૂડી છે. ઘણા લોકોએ સામેથી જ આ સંસ્થાના સ્વયંસેવક બનવાનું પસંદ કર્યું છે. બાળકોથી લઈને વૃધ્ધ પર્યાવરણપ્રેમીઓ આ ઝુંબેશમાં નિઃસ્વાર્થ જોડાયા છે.
કચરો, જંગલી ઘાસની સફાઇ તેમજ બંધને વ્યવસ્થિત રાખવામાં આ સંસ્થાએ ઘણું કામ કર્યું છે. ચેન્નાઈમાં એગાતુર નહાર, કિનાથૂકદાવું નહેર તેમજ અન્ય અનેક જળાશયો તેમના કામના જીવંત ઉદાહરણો છે.
તેઓ 'cyclakes’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સાઇકલ પર બાળકોને ગાંડાઓનો પ્રવાસ કરાવે છે અને પર્યાવરણની સમજણ આપીને તેની રક્ષા કરવા પ્રેરણા આપે છે. મુરગપ્પા ગ્રુપ, શ્રીરામ ગ્રુપ વગેરે જેવી કેટલીક કંપનીઓએ પણ આ સંસ્થાને તેના સત્કાર્યમાં સાથ આપ્યો છે.
2012 માં આ માટે કૃષ્ણમૂર્તિને રોલેક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જે સમાજમાં કોઈ બદલાવ માટે કામ કરતાં વ્યક્તિને આપવામાં આવે છે.
ચેન્નાઈ, મુંબઈ, કલકત્તા, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, કોઇમ્બતુર, પૂડુચેરી, તિરુવાનંઠપુરમ વગેરે જેવા શહેરોમાં તેમના કાર્યોને કારણે ઘણું જ પરિવર્તન દેખાઈ રહ્યું છે અને વધુને વધુ લોકો જાગૃત બનીને આ સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે. હાલમાં વિજયવાડા અને મૈસુરમાં 39 પ્રોજેક્ટ્સ પર સંસ્થા કાર્યરત છે અને બહુ જ જલ્દી કન્યાકુમારીમાં પણ કામ કરશે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.