મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર

Tripoto

ફેબ્રુઆરી મહિનો ફરવા માટે બેસ્ટ ગણાય છે. આ મહિનામાં ન તો ખૂબ ગરમી હોય છે અને ન તો ખૂબ ઠંડી હોય છે. આ સાથે જ વસંતઋતુનું પણ આગમન થાય છે. આ માટે, ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં ઘણા ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ મહિનામાં મુંબઈ, ગોવા, ફરીદાબાદ, જયપુર, દિલ્હી સહિત દેશના અનેક સુંદર શહેરોમાં અનેક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. આમાંનો એક છે ઈલોરા-અજંતા ફેસ્ટિવલ. 7 વર્ષ બાદ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો તમે પણ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો સાથે વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો તમે ઈલોરા-અજંતા ફેસ્ટિવલ જોવા મહારાષ્ટ્ર જઈ શકો છો. આવો, આ ફેસ્ટિવલ વિશે બધું જાણીએ-

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

ઈલોરા-અજંતા ફેસ્ટિવલ ક્યારે છે?

આ વર્ષે ઈલોરા-અજંતા ફેસ્ટિવલ 25 થી 27 ફેબ્રુઆરી સુધી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ત્રણ દિવસીય ઈલોરા-અજંતા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

શું હશે ખાસ?

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

ઔરંગાબાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાં ઈલોરા-અજંતા ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. અગાઉ વર્ષ 2016માં ઈલોરા-અજંતા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 7 વર્ષ બાદ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાશિદ ખાન, ઉસ્તાદ શુજાત ખાન, મહેશ કાલે, રવિ ચારી, શિવમણી, વિજય ઘાટે, સંગીતા મઝુમદાર અને શંકર મહાદેવન જેવા જાણીતા કલાકારો ભાગ લેશે. વર્ષ 1985માં પ્રથમ વખત ઈલોરા-અજંતા ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો. તે સમયે આ તહેવાર ખૂબ જ પ્રખ્યાત થયો હતો.

સત્તાવાર અખબારી યાદી અનુસાર, સિલ્વર ટિકિટની કિંમત 150 રૂપિયા, ગોલ્ડ ટિકિટની કિંમત 300 રૂપિયા અને પ્લેટિનમ ટિકિટની કિંમત 600 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. આ ટિકિટો કલેક્ટર કચેરી, મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ કાર્યાલય અને સંત એકનાથ રંગમંદિરમાંથી મેળવી શકાશે.

જિલ્લા વહીવટી તંત્ર, સંકલન સમિતિ અને પ્રવાસન નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે કે આ મહોત્સવના તમામ કાર્યક્રમો શહેરના રહેવાસીઓ તેમજ અહીં આવતા તમામ પ્રવાસીઓ માણે. હવે જો તમે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઇ રહ્યા છો તો અજંતા-ઇલોરાની ગુફાઓ જોવાનું ચૂકશો નહીં.

અજંતા-ઇલોરાની ગુફાઓ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતા અને ઈલોરાની ગુફાઓ એકબીજાથી 100 કિલોમીટરના અંતરે આવેલી છે, પરંતુ તેમના સૌંદર્ય અને મહત્વના કારણે આ બંનેના નામ હંમેશા એક સાથે લેવામાં આવે છે. મોટા પહાડો અને ખડકોને કાપીને બનાવેલી આ ગુફાઓ ભારતીય કારીગરી અને સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અજંતા ગુફાઓમાં દિવાલો પર કરવામાં આવેલી મોટાભાગની કોતરણી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે, જ્યારે ઇલોરા ગુફાઓમાં રહેલાં સ્થાપત્ય અને શિલ્પો ત્રણ અલગ-અલગ ધર્મો સાથે સંકળાયેલા છે - બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિંદુ ધર્મ...

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

અજંતામાં 30 ગુફાઓનો સમૂહ છે

તમને જાણીને નવાઈ લાગશે કે અજંતા એક કે બે નહીં પરંતુ પૂરી 30 ગુફાઓનો સમૂહ છે જે પર્વતોને કાપીને ઘોડાના પગરખાના આકારમાં બનાવવામાં આવી છે અને તેની સામે વાઘોરા નામની સાંકડી નદી વહે છે. આ ગુફાઓનું નામ નજીકના ગામ અજંતા પરથી પાડવામાં આવ્યું હતું. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધની ઘણી મૂર્તિઓ સાથે, બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત ઘણા ચિત્રો પણ દિવાલ પર બનાવવામાં આવ્યા છે. આ સાથે ભગવાન બુદ્ધના અગાઉના જન્મો વિશે પણ જણાવવામાં આવ્યું છે.

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

પ્રાર્થના માટે વપરાય છે

અહીં 2 પ્રકારની ગુફાઓ છે - વિહાર અને ચૈત્ય ગૃહ... વિહારો બૌદ્ધ મઠો છે જેનો ઉપયોગ રહેવા અને પ્રાર્થના માટે થતો હતો. ચોરસ આકારના નાના હોલ અને સેલ છે. સેલનો ઉપયોગ બૌદ્ધ સાધુઓ દ્વારા આરામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો, જ્યારે મધ્યમાં ચોરસ જગ્યાનો ઉપયોગ પ્રાર્થના માટે કરવામાં આવતો હતો. ચૈત્ય ગૃહ ગુફાઓનો ઉપયોગ પ્રાર્થના માટે થતો હતો. આ ગુફાઓના છેડે સ્તૂપ બનાવવામાં આવ્યા છે, જે ભગવાન બુદ્ધનું પ્રતીક છે.

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

ઈલોરાની ગુફાઓ 2 કિલોમીટરમાં ફેલાયેલી છે

અજંતામાં જ્યાં 30 ગુફાઓનો સમૂહ છે, તો ઈલોરાની ગુફાઓમાં 34 મઠો અને મંદિરો છે, જે પર્વતના કિનારે લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આ ગુફાઓ 5મી અને 10મી સદીની વચ્ચે બનાવવામાં આવી હતી. ઈલોરાની ગુફાઓ રોક કટ આર્કિટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈલોરા ગુફાઓમાં આવેલા મંદિરો હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મને સમર્પિત છે. અહીંની મોટાભાગની રચનાઓ વિહારો અને મઠોની છે. આમાં વિશ્વકર્મા ગુફા તરીકે ઓળખાતી બૌદ્ધ ગુફા સૌથી પ્રસિદ્ધ છે.

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

અજંતા ગુફાઓનો ઇતિહાસ

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

અજંતા ગુફાઓ મુખ્યત્વે બૌદ્ધ ગુફાઓ છે, જેમાં બૌદ્ધ ધર્મની કલાકૃતિઓ છે. આ ગુફાઓ બે તબક્કામાં બનાવવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં, સાતવાહન અને પછી વાકાટક શાસક વંશના રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું. પ્રથમ તબક્કાની અજંતા ગુફાઓનું નિર્માણ બીજી શતાબ્દીના સમયે થયું હતું અને બીજા તબક્કાની અજંતાની ગુફાઓનું નિર્માણ ઇસ.460-480માં થયું હતું. આપને જણાવી દઇએ કે પ્રથમ તબક્કામાં 9, 10, 12, 13 અને 15 Aની ગુફાઓ બનાવવામાં આવી હતી. બીજા તબક્કામાં 20 ગુફા મંદિરો બનાવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાને હિનાયન તરીકે ઓળખવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મની હિનાયન શાખા સાથે સંબંધિત છે. આ તબક્કાના ખોદકામમાં ભગવાન બુદ્ધને સ્તૂપ સાથે સંબોધવામાં આવ્યા છે. બીજા તબક્કામાં લગભગ ત્રીજી સદી પછી ખોદકામ કરવામાં આવ્યું હતું. આ તબક્કો મહાયાન તબક્કો કહેવાતો. ઘણા લોકો આ તબક્કાને વાતાયક તબક્કો પણ કહે છે. જેનું નામ વત્સગુલ્મના શાસક વંશ વાકાટકના નામ પરથી પડ્યું છે.

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

અજંતા ગુફાની મુલાકાતનો સમય

Photo of મિત્રો સાથે વેકેશન પર જવાનું છે પ્લાનિંગ, તો અજંતા ફેસ્ટિવલને કરો એક્સપ્લોર by Paurav Joshi

જો તમે અજંતા ગુફાઓની સફર પર જઈ રહ્યા છો, તો તમે સવારે 09:00 થી સાંજના 05:00 વાગ્યા સુધી અહીં જઈ શકો છો, પરંતુ આ ગુફાઓ મહિનાના દરેક સોમવારે બંધ રહે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો