ભારતના 12 અનોખા સ્થળોના અનોખા રહસ્યો, જેની સામે વિજ્ઞાન પણ હારી ગયું છે!

Tripoto

ભારત એક એવું રાજ્ય છે કે જો તમે ફરવા જાઓ છો, તો તમને આવી ઘણી જગ્યાઓ જોવા મળશે અને આવી ઘણી વાર્તાઓ સાંભળવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. પરંતુ કેટલાક સ્થળો એટલા વિચિત્ર છે કે વિજ્ઞાન પણ તેની સામે હાર માની ચુક્યુ છે. ચાલો અમે તમને જણાવીએ છે આવી જ 10 વિચિત્ર જગ્યાઓ વિશે.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ

1. મહારાષ્ટ્રની અજંતા એલોરા ગુફાઓ

આ ગુફાઓ 4000 વર્ષ પહેલાં પર્વતો કાપીને બનાવવામાં આવી છે. સમગ્ર સભ્યતા ફક્ત એક પર્વતથી બનેલી છે. અજંતામા કુલ 30 ગુફાઓ છે જેમાં 5 પ્રાર્થના હોલ અને 25 વિશાળ બૌદ્ધ મઠો છે. આ સાથે, એલોરા ગુફાઓમાં 12 ગુફાઓ બૌદ્ધ ધર્મ, 17 હિન્દુ અને 5 જૈન ધર્મ પર આધારિત છે. એવું કહેવામાં આવે છે કે આ વિશાળ ખડક નીચે એક શહેર પણ આવેલું છે.

Photo of ભારતના 12 અનોખા સ્થળોના અનોખા રહસ્યો, જેની સામે વિજ્ઞાન પણ હારી ગયું છે! 1/1 by Romance_with_India
Credit : Arian Zwegers

હવે સવાલ એ છે કે 4000 વર્ષ પહેલાં વળી કોણ આ મોટો ખડક કાપીને ગુફા બનાવી ગયુ હશે? તે પણ એવા સમયે જ્યારે આપણી પાસે આજની તકનીકીના હથિયારો પણ નહોતા. બીજો સવાલ એ છે કે, જે પર્વતો કાપીને ગુફાઓ બનાવવામાં આવી તેનો બાકીનો ભાગ ક્યાં ગયો? આ પ્રશ્ન હજી પણ લોકોના મનમાં છે, જેનો જવાબ કોઈની પાસે નથી.

2. કેરળમાં પદ્મનાભાસ્વામી મંદિર

આ વિશાળ મંદિર કળિયુગથી 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અંદર ભગવાન વિષ્ણુ અનંતશય્યા અવસ્થામા વિરાજમાન છે. આ મંદિરમાં કુલ 6 દરવાજા છે, જેમાંના અમુક માથી બહાર કાઢેલા ઝવેરાતની કુલ કિંમત 1 લાખ કરોડથી વધુ છે. જ્યારે કેટલાક આજદિન સુધી ખોલાયા નથી. ચેમ્બર B ખોલવા માટે એક ખૂબ જ પવિત્ર અને વિજ્ઞ સાધુ દ્વારા જ ખોલી શકાય તેમ છે, જે ગરુડ મંત્રનો જાપ કરીને નાગબધ્ધમ અને નાગપાશમને કેવી રીતે દૂર કરવી તે જાણતા હોય.

સવાલ એ છે કે આ મંદિરમાં આટલા ઝવેરાત કોણે મૂક્યા હશે. આ દરવાજો કોણે બંધ કર્યો અને કેવી રીતે કરવામાં આવ્યો તે પણ સવાલ છે. એન્જિનિયરિંગના ચમત્કારો આ મંદિરમાં કુલ 5 મોટા વિશિષ્ટ સ્થિત છે, જેના પર સૂર્ય 21 અથવા 22 માર્ચ અને 22 અથવા 23 સપ્ટેમ્બરના રોજ મધ્યથી ઉગે છે. આ તારીખો મા દિવસ અને રાત એક જ સરખા સમયની હોય છે.

Credit : Wikimedia

Photo of ભારતના 12 અનોખા સ્થળોના અનોખા રહસ્યો, જેની સામે વિજ્ઞાન પણ હારી ગયું છે! by Romance_with_India

3. રાજસ્થાનનો ભાનગઢનો કિલ્લો

ભારત કથાઓનો દેશ પણ છે. રાજસ્થાનની રાજધાની, જયપુર નો ભાનગઢનો કિલ્લો, તેની કથાઓ અને ભૂતિયા વાર્તાઓ માટે પ્રખ્યાત છે, તે 17 મી સદીથી એક ભૂતિયા સ્થળ તરીકે મશહુર છે, ગૂગલ કરી લો અથવા લોકોના મોંથી જ સાંભળો.

લોકો કહે છે કે કોઈ તાંત્રિક એક સમયે કાળો જાદુ કરતો હતો, તે રાતના સમયે ખોટો કામ કરનારાઓને મારી નાખતો હતો. ભારતના પુરાતત્ત્વીય વિભાગે સાંજ બાદ કિલ્લાની અંદર ન જવા માટે એક મોટું બોર્ડ લગાવ્યું છે. ખબર નહીં કેટલા વિદેશી લોકો (ડિસ્કવરી ચેનલ સહિત) આ સ્થાનનું રહસ્ય જાણવા માટે આવ્યા અને બધા ખાલી હાથે પાછા ફર્યા.

Credits : Wimimedia

Photo of Bhangarh fort, Bhangarh, Rajasthan, India by Romance_with_India

4. આસામનું જતિંગા ગામ

રહસ્ય ની વાતો જ એવી હોય છે કે લોકો તેને કાન લગાવીને સાંભળે છે. કેટલીકવાર આ રહસ્યો તમને દુખી, એકલા અને અસહાય છોડી દે છે. આસામના જતિંગા ગામનું રહસ્ય પણ કંઈક આવું જ છે.

આસામના આ ગામે ન જાણે કેટલી વાર પક્ષીઓને આકાશમાંથી પડતા જોયા છે. દર વર્ષે ઓક્ટોબરની આસપાસ, અહીં જેટલા પક્ષીઓ ઉડે છે, બધા અનિયંત્રિત થઈને આપોઆપ પડવા લાગે છે. સાંજના 6 થી 9 દરમિયાન આ પક્ષીઓ પડી જવાને કારણે મોતનો ભોગ બને છે. નિરીક્ષકો અને વૈજ્ઞાનિકો આજદિન સુધી કારણ શોધી શક્યા નથી.

એક વાહિયાત નિવેદન એ પણ છે કે આ ગામના લોકો આ પક્ષીઓને જાતે જ મારી નાખે છે. વૈજ્ઞાનિકો પણ આ અંગે મૌન ધારણ કરે છે.

Photo of Jatinga Point, Jatinga, Assam, India by Romance_with_India

6. ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ

રૂપકુંડ તળાવનું નામ આવતાની સાથે જ હાડપિંજરના માથા અને હાડકાં આંખો સમક્ષ ઝૂલતા હોય છે. હિમાલયની યાત્રા ઇચ્છતા લોકો માટે આ પ્રિય ટ્રેક છે. જો તમે જમીન પરથી 5029 મીટર ની ઊંચાઈએ આવા દૃશ્યો જુઓ, તો પછી વ્યક્તિ ફક્ત ફોટોગ્રાફ્સમાં જ સફર કરે છે. રૂપકુંડ તળાવ અસંખ્ય નરમુંડો વચ્ચે પડેલો છે.

1942 માં બ્રિટીશ ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા આ સ્થળની શોધ કરવામાં આવી હતી. ત્યારથી, તળાવ વિદેશી અને દેશી પુરાતત્ત્વીય વિભાગનું ઘર બન્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, હજારોથી વધુ સંશોધન અહીં કરવામાં આવ્યાં છે, પરંતુ આટલા હાડપિંજર અહીં ક્યાંથી આવ્યા તે કોઈ જણાવી શક્યું નથી.

Credits : Wikimedia

Photo of Roopkund, Uttarakhand by Romance_with_India

વર્ષો સુધી સંશોધન કર્યા પછી, વૈજ્ઞાનિકો કહ્યું કે આ હાડપિંજર 850 ઈ. ના છે. પરંતુ હજી સુધી તેના મોતનું કારણ જાણી શકાયું નથી. તેઓ અહીંની લોકોની વાતોમાંથી જાણવા પ્રયત્ન કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સદીઓ પહેલા અહીં ખૂબ બરફવર્ષા થઈ હતી. એટલું બધું કે જમીન 23 સેન્ટિમીટર સુધી બરફથી ઢંકાયેલી હતી. આવી ઠંડીને લીધે દરેકનું મોત નીપજ્યું હતું.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, ખોપરી ઉપર તિરાડો મળી આવી છે, જેનો અર્થ છે કે જે કંઈ અસર થઈ તે ગોળાકાર રહી હશે.

7. પાલી શહેરનું બુલેટ બાબાની બાઇક નુ મંદિર

ચોટીલા ગામ રાજસ્થાનના જોધપુરથી 30 માઇલ દૂર છે. અહીં એક વ્યક્તિ ઓમ બન્ના ઉર્ફે બુલેટ બાબા બની ગયો. 1988 માં, બાબા બાઇક પર તેના ગામ તરફ આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા હતા અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત બાદ બાઇક ચાલુ હાલતમાં નહોતી. બીજા દિવસે સવારે તેના ગુમ થવા માટે પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. શોધ કરતાં આ બાઇક બરાબર ત્યા મળી હતી જ્યાં તેનો અકસ્માત સર્જાયો હતો. આ બાઇક ફરી પોલીસ સ્ટેશન મુકી હતી અને બાઇક ફરી ગાયબ થઈ ગઈ હતી.

લોકો આ બાઇક અને બુલેટ બાબાને પવિત્ર આત્મા માને છે અને તેના માટે એક ભવ્ય મંદિર બનાવ્યું છે. આ બાઇકની ત્યાં જ પૂજા થવા લાગી. આસપાસના લોકોએ પણ તેની પૂજા શરૂ કરી અને મંદિર બુલેટ બાબાના મંદિરના નામથી પ્રખ્યાત થઈ ગયું.

Credits : Wikimedia

Photo of Pali, Rajasthan, India by Romance_with_India

8. રાજસ્થાનનુ કુલધરા ગામ

લાંબા રણ, શાહી મહેલ, મોટા તળાવો, વિશેષ હેન્ડલૂમને કારણે રાજસ્થાન પ્રવાસીઓના હૃદયમાં ખૂબ સન્માનિત છે. પરંતુ અહીં એક બીજી વિશેશતા છે જે અહીંની મુલાકાત માટેનું એક મોટું કારણ આપે છે.

જેસલમેરથી 20 કિ.મી. કુલધરા એક દૂર ગામ છે. ત્રણ દાયકા પહેલા આ ક્ષેત્ર બ્રાહ્મણ સમુદાયનું ઘર હતું, પરંતુ કેટલાક સંજોગોને કારણે લોકો અહીંથી ભાગી ગયા હતા. તેનું કારણ કોઈને ખબર નથી, પરંતુ પુરાતત્ત્વવિદો માટે હવે તે એક સર્વે સ્થળ બની ગયું છે.

કેટલાક લોકો તેને પ્રેત આત્મા તરીકે વર્ણવે છે તો પછી કેટલાક ભગવાનની માયા, શબ્દો દરેક પાસે છે, ખરેખર તેની સાથે કોઈ લેવાદેવા નથી.

Credits : Wikipedia

Photo of Kuldhara, Rajasthan, India by Romance_with_India

9. લેપાક્ષીનો લટકતો પિલ્લર, આંધ્રપ્રદેશ

ભારત ગામડાઓમાં વસે છે અને ઘણા રહસ્યો પણ અહીં જન્મે છે. આંધ્રપ્રદેશના લેપાક્ષી ગામમાં એક 16 મી સદીનું મંદિર છે, જેનુ વાસ્તુ તેને જોવા માટે યોગ્ય બનાવે છે. 70 સ્તંભો ધરાવતું આ મંદિર ખરેખર એક કોતરણીની ખાણ છે.

પરંતુ આ મંદિરને જે વિચિત્ર બનાવે છે તે તેનો આધારસ્તંભ છે જે સીલિંગની મદદથી હવામાં લટકી રહેલો છે. તમે હવામાં અટકેલા થાંભલાની નીચેથી કાગળનો ટુકડો અથવા કાપડ સરળતાથી પસાર કરી શકો છો. તે કેમ બન્યું છે, કે પછી ભૂલથી થઈ ગયુ હશે, કોઈને ખબર નથી, પરંતુ જે સાચું છે તે સામે છે.

Credits : Wikimedia

Photo of Lepakshi, Andhra Pradesh, India by Romance_with_India

10. રાજસ્થાનનું કરણી માતા મંદિર

ફરવાની દ્રષ્ટિથી રાજસ્થાન ખૂબ મહત્વનું છે. મુસાફરો તેને તેમની સૂચિની ટોચ પર રાખે છે. વિશેષતા અહીંની જગ્યાઓ છે જે આ રણભૂમિને સ્વર્ગ બનાવે છે. આ સૂચિમાં દેશનોક ગામમાં માતા કરણીનું મંદિર આવે છે. બિકાનેરથી 30 કિ.મી. આ ગામ દક્ષિણ તરફ આવે છે જ્યાં દરરોજ 20,000 થી વધુ ઉંદરોને સ્વાદિષ્ટ દૂધ અને ખોરાક પીરસવામાં આવે છે. તેથી જ તેને ઉંદરોનું મંદિર પણ કહેવામાં આવે છે.

આ મંદિરમાં ઉંદરની અર્ચના થાય છે. તમને પ્લેટ પર 30 થી વધુ ઉંદરો દૂધ પીતા જોવા મળશે. લોકો 14 મી સદીથી માતા કરણીને ધ્યાનમાં લઈ રહ્યા છે અને 15 મી સદીમાં રાજા ગંગાસિંહે માતા કરણીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ મંદિર સંપૂર્ણપણે આરસથી બનેલું છે. આશ્ચર્યજનક રીતે, લોકો ઉંદરો દ્વારા ખાવામાં આવેલ ખોરાક લે છે અને બિમાર પણ થતા નથી!

Credits : Wikimedia

Photo of Deshnok, Rajasthan, India by Romance_with_India

11. મણિપુરનુ લોકતક તળાવ

જો તમને પૃથ્વી પર સ્વર્ગ જોવાની ઇચ્છા છે અને ભગવાન દ્વારા રચિત સુંદર સ્થાનોને કેદ કરવા માંગતા હો, તો પછી લોકતક તળાવ પર આવો. આ ચમત્કારિક તળાવ મણિપુરના લોકોની જીવનશૈલી છે. આ તળાવ એ જાતે જ એક આખું ટાપુ ઉભું કર્યું છે જેને ફૂમદી તરીકે ઓળખાય છે.

આ ટાપુ કીબુલ લમજાઓ નેશનલ પાર્ક હેઠળ આવે છે, જે આખા વિશ્વમાં એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. સ્વર્ગ અને નસીબ અહીંથી છે.

Credits : Wikipedia

Photo of Loktak Lake, Manipur by Romance_with_India

12. જોડિયા બાળકો વાળું કોડીન્હી ગામ, કેરલ

જ્યારે તમે આ ગામ પર આવશો, ત્યારે અહીં બધું સામાન્ય લાગશે. ત્યાંનું સુંદર હવામાન, શાળાએ જતા બાળકો, પતિઓ સાથે લડતી જગડતી પત્નીઓ, જુના રીતરિવાજોનું પાલન કરતા લોકો. તમે કહેશો કે, "તમે અમને આ ક્યાં લઈ આવ્યા? આ સ્થાનમા વિશેષ શું છે?" પછી હું તમને થોડું વિચારવાનું કહીશ. અને પછી તમે આઘાત પામશો. તમને 2000 પરિવારો સાથે આ ગામમાં 220 જોડિયા બાળકો મળશે.

2008 માં, 300 માંથી 15 કુટુંબમાં જોડિયા બાળકો જન્મ્યા હતા. તે જ સમયે, 2009 અને 14 ની વચ્ચે, 30 પરિવારોના ઘરો જોડિયા બાળકોની કિકિયારી ગુંજી. જો તમે વૈજ્ઞાનિકોને પૂછો, તો તેઓ આશ્ચર્યચકિત થઈની આકાશ જઓવાનુ શરૂ કરે છે, એને થાય છે કે અહીં શું ચાલી રહ્યું છે. તેમની પાસે પણ કોઈ જવાબ નથી. તેથી જ હું કહું છું કે, પહેલા તમારા ઘરને જુઓ, બહારની સુંદરતા જોવાની યોજના પછી કરજો.

Photo of Kerala, India by Romance_with_India

12. લદ્દાખ માર્ગ

ઘુમે, ઘુમે બંજારે; ઘુમે ગલીયા યે બેચારે. લદાખનુ નામ આવતા તરત જ હાર્લી ડેવિડસનની બાઇક અને બ્લેક જેકેટ પહેરેલા લોકો યાદ આવે છે, જેઓ પોતાની મસ્તીમા લાંબા રસ્તાઓ કાપે છે.

Photo of ભારતના 12 અનોખા સ્થળોના અનોખા રહસ્યો, જેની સામે વિજ્ઞાન પણ હારી ગયું છે! by Romance_with_India

લદ્દાખથી લેહ ના માર્ગ પર, પર્વતોથી ઘેરાયેલો એક માર્ગ, જેને મેગ્નેટિક હિલ કહેવામાં આવે છે. ચઢાણ હોવા છતા પણ કાર આ રસ્તા પર જાતે ચડે છે. લદાખના ચુંબકવાળી આ જગ્યાએ, જો તમે બાઇકનું એન્જિન બંધ કરો તો પણ ખેંચાઈને આગળ વધશે.

નજીકના લોકોની વાર્તા પણ સાંભળવા લાયક છે

આ લોકો કહે છે કે નજીકનો પર્વત હોવાને કારણે આ રસ્તો ઉપર ચડી રહ્યો હોય તેવુ લાગે છે, પરંતુ તે નીચે ઉતરી રહ્યો છે. પર્વત હોવાને કારણે, ક્ષિતિજનો સાચો અંદાજ નથી મળતો, તેથી ઉતરતો રસ્તો ચઢાણ જેવો અનુભવાય છે.

મેં વિચાર્યું નહોતું કે ભારતમાં આટલી બધી જગ્યાઓ હશે અને આવી વિચિત્ર વાર્તાઓ હશે, જેનાથી વૈજ્ઞાનિકો મૂંઝવણમાં મુકાય. જો તમને એવા કોઈ ગામ અથવા સ્થળ વિશે માહિતી છે કે જે વિજ્ઞાન તમામ નિયમોને હરાવે છે, તો નીચે કમેન્ટ બોક્સમાં અમને કહો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતીને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Related to this article
Places to Visit in Assam,Places to Stay in Assam,Things to Do in Assam,Assam Travel Guide,Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Weekend Getaways from Chamoli,Places to Visit in Chamoli,Places to Stay in Chamoli,Things to Do in Chamoli,Chamoli Travel Guide,Places to Visit in Uttarakhand,Places to Stay in Uttarakhand,Things to Do in Uttarakhand,Uttarakhand Travel Guide,Weekend Getaways from Kuldhara,Places to Visit in Kuldhara,Places to Stay in Kuldhara,Things to Do in Kuldhara,Kuldhara Travel Guide,Weekend Getaways from Jaisalmer,Places to Stay in Jaisalmer,Places to Visit in Jaisalmer,Things to Do in Jaisalmer,Jaisalmer Travel Guide,Places to Stay in Rajasthan,Places to Visit in Rajasthan,Things to Do in Rajasthan,Rajasthan Travel Guide,Weekend Getaways from Lepakshi,Places to Visit in Lepakshi,Things to Do in Lepakshi,Lepakshi Travel Guide,Places to Visit in Andhra pradesh,Places to Stay in Andhra pradesh,Things to Do in Andhra pradesh,Andhra pradesh Travel Guide,Places to Stay in Deshnok,Weekend Getaways from Deshnok,Places to Visit in Deshnok,Things to Do in Deshnok,Deshnok Travel Guide,Weekend Getaways from Bikaner,Places to Visit in Bikaner,Places to Stay in Bikaner,Things to Do in Bikaner,Bikaner Travel Guide,Places to Visit in Manipur,Things to Do in Manipur,Manipur Travel Guide,Places to Visit in Kerala,Places to Stay in Kerala,Things to Do in Kerala,Kerala Travel Guide,Weekend Getaways from Bhangarh,Places to Stay in Bhangarh,Places to Visit in Bhangarh,Things to Do in Bhangarh,Bhangarh Travel Guide,Weekend Getaways from Alwar,Places to Visit in Alwar,Places to Stay in Alwar,Things to Do in Alwar,Alwar Travel Guide,Places to Stay in Pali,Things to Do in Pali,Pali Travel Guide,