એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ

Tripoto
Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

આપણી આ મનોહર ધરતી પર ન જાણે કેટલા અદ્ભુત અને સુંદર સ્થળો જોવા મળે છે જેના પર થોડા સમય માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે.

તમે દુનિયાનું છેલ્લું ગામ સાંભળ્યું હશે અથવા જોયું હશે, એક એવી જગ્યા પણ છે જ્યાં દુનિયાનો છેલ્લો રસ્તો છે. જેનાથી આગળ ન તો કોઈ શહેર છે કે ન કોઈ રસ્તો. રસ્તાના અંતે, તમને સમુદ્ર અને બરફના માત્ર મોટા ગ્લેશિયર્સ મળશે. એકંદરે એમ કહેવું જોઈએ કે આ રસ્તાની સામે માનવજીવન ખીલતું નથી. છેવટે, આ છેલ્લો રસ્તો ક્યાં છે, તો ચાલો તમને જણાવીએ.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

ઘણા લોકો ઉત્તર ધ્રુવ વિશે જાણતા હોવા જોઈએ જે પૃથ્વીનું સૌથી દૂરનું ઉત્તરીય બિંદુ છે અને જ્યાંથી પૃથ્વીની ધરી ફરે છે. નોર્વેનો છેલ્લો છેડો હોવાથી આ રોડને દુનિયાનો છેલ્લો એકમાત્ર રસ્તો માનવામાં આવે છે.

પ્રકૃતિ પ્રેમીઓ આવા અદ્ભુત અને પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે જે અન્ય કરતા અલગ હોય છે. દુનિયાના આ છેલ્લા છેડા માટે એમ કહેવું ખોટું નહીં હોય. પરંતુ આ અદ્ભુત જગ્યાએ તમે ફક્ત ફરવા અને એકલા વાહન ચલાવી શકતા નથી.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

ખરેખર, E-69 એક હાઇવે છે, જે લગભગ 14 કિલોમીટર લાંબો છે. અને અહીં ફરવા માટે તમારે ગ્રુપ સાથે જવું પડશે. કારણ કે અહીં કુદરતી રીતે જ ચારે બાજુ બરફની જાડી ચાદર પથરાયેલી છે, જેના કારણે નદી ક્યાં છે અને ખાડા ક્યાં છે તે જાણી શકાતું નથી. જેના કારણે અહીં આવનાર માટે હંમેશા ખોવાઈ જવાનો ભય રહે છે. અહીં ઉનાળામાં તાપમાન ઝીરો ડિગ્રી જેટલું રહે છે તો શિયાળામાં -45 ડિગ્રી જેટલું નીચું જતું રહે છે.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

અહીં એક વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ રસ્તો ઉત્તર ધ્રુવની નજીક હોવાને કારણે અહીં શિયાળામાં હંમેશા રાત રહે છે. અને 6 મહિના સુધી સૂર્ય દેખાતો નથી. અહીં આસપાસના લોકો 6 મહિના સુધી અંધારામાં જીવવા ટેવાયેલા રહે છે.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

વર્ષો પહેલા આ જગ્યા પર માછલીનો વેપાર થતો હતો, લોકોને આ અદ્ભુત સ્થળ વિશે જાણ થતાં જ લોકો અહીં ફરવા આવવા લાગ્યા, જેના કારણે અહીંના લોકોનો રોજગાર પણ વધવા લાગ્યો. હવે આ જગ્યાએ સારી હોટલ પણ છે. આજના સમયમાં આ જગ્યાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

ભારતનો છેલ્લો રસ્તો

દુનિયાની વાત તો આપણે કરી નાંખી. પરંતુ તમને થતું હશે કે ભારતનો છેલ્લો રસ્તો પણ હશે. તે ક્યાં હશે, કેવો હશે વગેરે..તો તમને જણાવી દઇએ કે ભારતનો છેલ્લો રસ્તો છે ધનુષકોડી. જે તમિલનાડુના એક નિર્જન ગામમાં છે.

આ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચેની એકમાત્ર પાર્થિવ સરહદ છે, જે પાલ્ક સ્ટ્રેટમાં રેતીના ટેકરા પર હાજર છે. આ ગામને ભારતની છેલ્લી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને તે આ રસ્તા પર છે, જેને ભારતનો છેલ્લો રસ્તો કહેવામાં આવે છે.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

ધનુષકોડી, ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર એવી જમીન સીમા છે જે પાક જળસંધીમાં બાલૂના ઢગલા પર આવેલી છે. તેની લંબાઇ માત્ર 50 યાર્ડ છે અને આ જ કારણે આ જગ્યાને દુનિયાના લઘુત્તમ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.

આ ગામને ઘણું જ રહસ્યમય માનવામાં આવે છે. ઘણાં લોકો આને ભૂતિયું પણ માને છે. આમ તો દિવસના સમયે લોકો અહીં ફરવા માટે આવે છે, પરંતુ રાત થતા પહેલા તેમને પાછા મોકલી દેવામાં આવે છે. અહીં રાતના સમયે રોકાવાની કે ફરવાની બિલકુલ મનાઇ છે. અહીંથી રામેશ્વરમનું અંતર અંદાજે 15 કિલોમીટર છે અને આખો વિસ્તાર સુમસામ છે. સ્વાભાવિક છે કે આવા સંજોગોમાં કોઇને પણ ડર લાગી શકે છે.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

એવું નથી કે આ ગામ હંમેશાથી સુમસામ રહ્યું હોય. અહીં પહેલા લોકો રહેતા હતા. તે સમયે ધનુષકોડીમાં રેલવે સ્ટેશનથી લઇને હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટ ઓફિસ બધુ જ હતું. પરંતુ વર્ષ 1964માં આવેલા ભયાનક ચક્રવાતના કારણે બધુ જ સમાપ્ત થઇ ગયું. કહેવાય છે કે આ ચક્રવાતના કારણે 100થી વધુ યાત્રીઓની સાથે એક રેલગાડી સમુદ્રમાં ડુબી ગઇ હતી. ત્યારબાદ આ વિસ્તાર ઉજ્જડ થઇ ગયો.

Photo of એવો છેલ્લો રસ્તો ત્યારબાદ સમાપ્ત થઇ જાય છે દુનિયા, છ મહિના સુધી નથી ઉગતો સૂરજ by Paurav Joshi

ડિસેમ્બર 1964માં અહીં મોટી સંખ્યામાં ચક્રવાત આવ્યો હતો, જેના કારણે શહેર ખેદાન-મેદાન થઇ ગયું. વાવાઝોડામાં 1,800 લોકોના જીવ જતા રહ્યા હતા અને 100 યાત્રીઓવાળી એક ટ્રેન સમુદ્રમાં ડુબી ગઇ હતી. ત્યારબાદ સરકારે શહેરને માનવ આવાસ માટે અનુપયોગી જાહેર કર્યું, હાલ આ જગ્યા ખંડેરમાં ફેરવાઇ ગઇ છે. જો કે, ટાપુ હવે લગભગ 500 માછીમારો દ્વારા વસાવાયું છે જે ધનુષકોડીમાં પોતાની આજીવિકા માટે આખા શહેરમાં ફેલાયેલા લગભગ 50 ઝુંપડામાં રહે છે. ધનુષકોડીનો દુઃખદ ઇતિહાસના કારણે આને ભૂતોનું શહેર પણ કહેવામાં આવે છે. અહીં લોકોને દિવસમાં આવવાની અનુમતિ છે પરંતુ રાતમાં અહીંથી પાછા ફરી જવું પડે છે. તમને જણાવી દઇએ કે અહીંથી રામેશ્વરમનું અંતર 15 કિ.મી. છે.

રામસેતુ

કહેવાય છે કે ધનુષકોડી જ એ જગ્યા છે જ્યાંથી સમુદ્રની ઉપર રામસેતુનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે આ જગ્યાએ ભગવાન રામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ કર્યો હતો. જેની પર પસાર થઇને વાનર સેના રાવણની લંકા નગરીમાં પ્રવેશ કરી શકે. આ ગામમાં ભગવાન રામ સાથે જોડાયેલા ઘણાં મંદિર છે. એવી માન્યતા છે કે વિભીષણના કહેવા પર ભગવાન રામે પોતાના ધનુષના એક છેડાથી સેતુ (પુલ)ને તોડી નાંખ્યો હતો. જેના કારણે આ જગ્યાનું નામ ધનુષકોડી પડયું.

આ ગામમાં એક ઐતિહાસિક ઘટના પણ થઇ છે. હકીકતમાં વર્ષ 1893માં સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં આયોજિત ધર્મ સંસદમાં ભાગ લેવા ગયા હતા ત્યારબાદ પાછા ફર્યા તો તેમણે ભારતમાં સૌથી પહેલા ધનુષકોડીમાં જ પોતાનો પગ મૂક્યો હતો. તે શ્રીલંકાના કોલંબો થઇને અહીં સુધી પહોંચ્યા હતા. રામસેતુ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો એવી છે કે વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન રામે જ્યારે શ્રીલંકા પહોંચવું હતું ત્યારે વાનરસેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું. પુરાણો અનુસાર શ્રીલંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો જ ન હોવાથી વાનરસેનાએ સમુદ્રમાં પુલ બનાવીને તેને પાર કરવાનો નિર્ણય કર્યો હતો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો