શું તમે જાણો છો? ભારતમાં ‘રિવર્સ વોટરફોલ’ આવેલો છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું

Tripoto

ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ખૂબસુરત પર્યટન સ્થળોની કોઈ જ કમી નથી તે વાતમાં શંકાને સ્થાન નથી. આપણા આ દેશમાં તમામ જગ્યાએ મેં સુંદરતા માણી છે, જ્યારે નાનેઘાટ ફોલ્સ એક એવી જગ્યા છે જ્યાં હું અપાર આશ્ચર્યમાં મુકાઇ ગઈ હતી. તમને થશે કે શું કામ? વેલ, આ એક એવો ધોધ છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું! એટલે કે અહીં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર જતો જોવા મળે છે.

Photo of શું તમે જાણો છો? ભારતમાં ‘રિવર્સ વોટરફોલ’ આવેલો છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું 1/2 by Jhelum Kaushal
Up is down (c) whatshot Pune

મુંબઈથી માત્ર 3 કલાક દૂર આ ધોધ આવેલો છે જ્યાં વિવિધ ટ્રેકસ પણ થાય છે. ટ્રેક ચડતા-ઉતરતા કુલ 5 કલાક જેટલો સમય લાગે છે.

અહીં એટલો જોરથી પવન ફૂંકાય છે કે પાણીનો પ્રવાહ જાણે નીચેથી ઉપર જતો હોય તેવું લાગે છે. અલબત્ત, તાર્કિક રીતે તે સાચું નથી પણ પવનની કરામતનું આ દ્રશ્ય ચોક્કસપણે જોવાલાયક છે.

ક્યારે જવું? ચોમાસા દરમિયાન અથવા તરત પછી ખૂબ સારા દ્રશ્યો જોવા મળે છે.

Photo of શું તમે જાણો છો? ભારતમાં ‘રિવર્સ વોટરફોલ’ આવેલો છે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું 2/2 by Jhelum Kaushal
The reverse effect (c) Sita India

કેવી રીતે જવું?

રેલમાર્ગે: કલ્યાણથી જુનનાર ટ્રેનમાં જાઓ. ત્યાંથી નાનકડો ટ્રેક કરીને નાનેઘાટ ફોલ્સ પહોંચી શકાય છે.

ગાઈડેડ ટૂર: મુંબઈ અને પૂણે બંને જગ્યાએથી 750 રૂની કિંમતથી શરુ થતાં અનેક ગાઈડેડ ટૂર આ ધોધનો પ્રવાસ કરાવે છે.

તો રાહ શેની જોવો છો? હમણા જ પ્લાન બનાવો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads