ઐતિહાસિક નગરી જુનાગઢ શહેરની રસપ્રદ વાતો

Tripoto

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અને ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા. આ બંને સાથે અભિન્ન રીતે જોડાયેલું શહેર એટલે જુનાગઢ.

શહેરનું નામ જ એવું છે કે આપણને તે ઐતિહાસિક લાગે. 1947 માં સ્વતંત્રતા સમયે જે 3 દેશી રજવાડાનું વિલીનીકરણ મુશ્કેલ સાબિત થયું હતું તેમાંનું એક એટલે જુનાગઢ.

કહેવાય છે કે સદીઓ પહેલા જુદા જુદા સમય દરમિયાન જુનાગઢ કરણકુંજ, મણિપુર, રેવાંત, ચંદ્રકેતુપુર, નરેન્દ્રપુર, ગિરિનગર તેમજ પુરાતનપુર જેવા નામે ઓળખાતું હતું. ઇ.સ. 1820માં અંગ્રેજ સરકારે આ શહેરને જુનાગઢ નામ આપ્યું જે આજે પણ તેનું સત્તાવાર નામ છે.

જુનાગઢ તેના નામ પ્રમાણે ખૂબ જ પ્રાચીન નગર છે. ત્યાંની સૌથી પ્રસિધ્ધ જગ્યામાંનો એક એવો ઉપરકોટ કિલ્લો ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો હતો. સદીઓ સુધી ખંડેર રહ્યા બાદ ચુડાસમા વંશના રાજાએ આ કિલ્લાને પુનઃ જીવંત કર્યો. ચુડાસમા વંશ બાદ ગ્રહરિપુ, નવઘણ અને ખેંગાર જેવા રાજાઓએ જુનાગઢ પર શાસન કર્યું. આ દરમિયાન ચૌલુકય મહારાજ મૂળરાજ તેમજ સિધ્ધરાજ જયસિંહ સાથે ટક્કર થઈ હતી. ઘણા લાંબા સમય માટે સૌરાષ્ટ્રના મોટા પ્રદેશમાં સત્તા પર રહ્યા. એક હજાર વર્ષના ઇતિહાસમાં 15 થી વધુ વખત આ કિલ્લા પર અલગ અલગ મુઘલ રાજાઓએ ચડાઈ કરી.

ઈસવીસન પૂર્વે 250 વર્ષ આજુબાજુ સમ્રાટ અશોકનું આ વિસ્તારમાં આગમન થયું. જૂનાગઢમાં તે સમયના બ્રાહ્મી અને પાલી ભાષામાં હસ્તપ્રતો જોવા મળે છે. અશોકના શાસન દરમિયાન જુનાગઢ તેમજ આસપાસના પ્રદેશમાં બૌધ્ધ અને જૈન ધર્મનો ખૂબ પ્રચાર-પ્રસાર થયો.

અને 15 મી સદીમાં જુનાગઢમાં મુઘલ વંશના રાજાઓએ પગપેસારો કર્યો. સન 1472 માં મોહમ્મદ બેગડાએ જુનાગઢના છેલ્લા હિન્દુ રાજવી મંડલિકા ત્રીજાને હરાવ્યા અને તેમનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું. તેમણે જુનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કર્યું હતું. ત્યાર પછી મોહમ્મદ ઘોરી એ સત્તા સંભાળી અને છેલ્લે 1947 માં જ્યારે દેશને સ્વતંત્રતા મળી ત્યારે શાહનવાઝ ભુટ્ટો જુનાગઢના રાજા હતા અને તેઓ પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા હતા. સરદાર પટેલની કુનેહ, જુનાગઢના લોકોનો ભારત-પ્રેમ તેમજ આરઝી હકૂમતને પ્રતાપે શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી અને 20 ફેબ્રુઆરી 1948 ના રોજ જુનાગઢ ભારતનો હિસ્સો બન્યું.

શાહનવાઝ ભુટ્ટો એક ઘેલો નવાબ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે કેવી ચપળતાથી આ આખી પરિસ્થિતિ સંભાળી હતી તે વિસ્તારપૂર્વક જાણવા જેવું છે.

આ ઉપરાંત જુનાગઢમાં કેટલાય પર્યટન સ્થળો પણ છે:

ગિરનાર 

ગિરનાર હિમાલયની પર્વતમાળા જેટલો જ પ્રાચીન અને પવિત્ર પર્વત માનવામાં આવે છે. હિન્દુઓ માટે આ એક ઘણો મહત્વનો પર્વત છે. 9999 પગથિયાં ધરાવતા ગિરનાર પર મુખ્ય દત્તાત્રેય અને અંબાજી મંદિરની સાથોસાથ અનેક નાના-મોટા હિન્દુ તેમજ જૈન મંદિરો આવેલા છે. વિવિધ ‘જૈન તીર્થંકર’ ના ‘પંચ કલ્યાણકો’ને આભારી ગીરનાર પાંચ મુખ્ય’ તીર્થ ‘પૈકીનું એક છે.

લોકો ગીરનાર પરિક્રમા તહેવાર દરમિયાન અહીં ભેગા થાય છે. ગિરનાર પણ પર્વતીય શ્રેણીના કહેવાતા “રહસ્યમય અવકાશ-સમય” માટે શિવ ભક્તોમાં મહત્વપૂર્ણ છે, જેમાં સાધુ બાબા, નાથ સંપ્રદાય અને અન્યના વિવિધ સંપ્રદાયોની હાજરી છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ મેળા પણ પર્વતો પર યોજાય છે, જેમ કે મહા શિવરાત્રી મેળા. ભૂતકાળમાં વિવિધ જૈન તીર્થંકર અને સાધુઓએ ગિરનારની શિખરોમાં તીવ્ર તપ કરી મુલાકાત લીધી હતી. તેની શ્રેણીમાં અનેક મંદિરો અને કેટલાક ઐતિહાસિક સ્થળો ધરાવે છે. હરિયાળી લીલા ગીર જંગલની વચ્ચે, પર્વતીય શ્રેણી ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.

મહોબત મકબરા મહેલ

મહોબત મકબરા મહેલ, બહાદુદ્દીનભાઈ હસૈનભાઈના મૌસોલિયમ, ભારતના જુનાગઢમાં એક મકબરો છે, જે એક સમયે મુનામિત શાસકોના ઘર જૂનાગઢના નવાબ હતા. જુનાગઢ શહેરમાં 18 મી સદીમાં ચિતાખાના ચોક નજીકના વિસ્તારમાં નવાબ દ્વારા બનાવવામાં આવેલ મકબરો છે.

દામોદર કુંડ

હિન્દૂ માન્યતાઓ મુજબ દામોદર કુંડ પવિત્ર તળાવોમાંનું એક છે, જે ગુજરાત, જુનાગઢ નજીક ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલું છે. હિન્દુ પૌરાણિક કથા મુજબ, તે પવિત્ર માનવામાં આવે છે અને ઘણાં હિન્દુઓ દામોદર કુંડમાં મૃતદેહના અગ્નિસંસ્કાર પછી રાખ અને હાડકાંને નવડાવવું અને નિમજ્જન કરવાનું પસંદ કરે છે, એવી માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ મેળવે છે. રાખ અને હાડકાના નિમજ્જન માટે અન્ય આવા પ્રખ્યાત સ્થળો (અસ્થિ-વિસર્જનનો હિન્દુ સંપ્રદાય) હરિદ્વારમાં ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમમાં આવેલા છે. તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ ઊંડું છે. તે એક સારા ઘાટ દ્વારા ઘેરાયેલું છે. ગીરનાર પર્વતો ઉપર જવા માટેના પગથીયાઓ દામોદર કૂંડની નજીક છે.

વિલિંગડન ડેમ

આ ડેમ કાળવા નદી પર કે જ્યાં તે ઉદ્દભવે છે તેના પર બાંધવામાં આવ્યો છે. જુનાગઢના લોકો માટે પીવાનું પાણીના એક જળાશય તરીકે બાંધવામાં આવ્યું હતું. તેનું નામ ભારતના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું. ડેમ નજીક, 2,779 ફીટ (847 મીટર) ઊંચા પગથીયા જમીયલ શાહ દાતારના પ્રસિદ્ધ મંદિર સુધી જાય છે.

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

સક્કરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનને સકકરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 200 હેકટર (490 એકર) માં આવેલ પ્રાણી સંગ્રહાલય છે જે 1863 માં જુનાગઢ, ગુજરાત, ભારતમાં ખોલવામાં આવ્યું હતું. એશિયાઇ સિંહ મોટાભાગના એશિયાઇ સિંહો પર લુપ્ત થઇ ગયા છે અને આજે ફક્ત નજીકના ગીર જંગલમાં જોવા મળે છે.

જુનાગઢમાં તેમજ શહેરની આસપાસ ગુજરાતના અતિપ્રસિધ્ધ પર્યટન સ્થળો આવેલા છે. જંગલના રાજા સિંહ જુનાગઢ શહેરની ફરતે આવેલા ગીરના જંગલોમાં શોભે છે. બે જ કલાકને અંતરે સોમનાથ મહાદેવ બિરાજે છે.

જુનાગઢ નામના આ પ્રાચીન નગર વિષે વિશેષ માહિતી Tripoto ને જણાવો.

માહિતી: જુનાગઢ વિકિપીડિયા, https://junagadh.nic.in/gu

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ