આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે?

Tripoto
Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 1/11 by Romance_with_India
Credit : Amit Rawat

જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકો રાજસ્થાન તરફ આહ ભરીને જોતા હોય છે. રાજસ્થાનનું નામ ચોક્કસપણે દરેક ઘુમક્કડોની મુસાફરીની સૂચિમાં આવે છે. ત્યાં કિલ્લાઓ, નહેરો, રણ, ટેકરીઓ બધુ જ છે, અરે ભાઈ ત્યાં શું નથી?

આજે આપણે રાજસ્થાનના આ 10 કિલ્લઓ વિશે વાત કરીશું, જે એક સમયે વિદેશી આક્રમણો થી આપણી રક્ષા કરતા હતા, તે આજે આપણા માટે કલા અને ક્ષમતાની ઓળખ બની ગયા છે.

1. જેસલમેરનો કિલ્લો

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 2/11 by Romance_with_India
Credit : Dezal B 

ત્રિકુટા પર્વતો પર સ્થિત જેસલમેર કિલ્લો, થાર રણની ખૂબ નજીક છે. રાજસ્થાનનો સૌથી પ્રાચીન કિલ્લો પૈકીનો એક જેસલમેર કિલ્લો રાણા રાવલ જયસ્વાલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પીળા રંગને લીધે, તેને સુવર્ણ કિલ્લો પણ કહેવામાં આવે છે.

આ કિલ્લામાં વિદેશી આક્રમણકારોથી બચવા માટે 99 ગઢ અને 2 તોપ ફાયરિંગ સાઇટ્સ છે. 3 સ્તરની સુરક્ષાવાળા આ કિલ્લામાં તે બધું છે જે તેને પોતાને એક સંપૂર્ણ મહેલ બનાવે છે. જેમ કે મંદિરો, મકાનો, બજારો, રેસ્ટોરાં વગેરે. જો આજકાલની ભાષામાં બોલવામાં આવે તો આત્મનિર્ભર. રાજવી મહેલ, શ્રીનાથ પેલેસ, વ્યાસ હવેલી, હિન્દુ અને જૈન મંદિરો જોવા માટેના મુખ્ય સ્થળો છે. અહીં ઘણાં સંગ્રહાલયો છે જે હજી પણ તે સમયની પેઇન્ટિંગ્સ, શસ્ત્રો અને અન્ય વસ્તુઓને સાચવીને બેઠા છે.

2. ચિત્તોડગઢનો કિલ્લો

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 3/11 by Romance_with_India

7 મી સદીમાં બનેલો ચિત્તોડગઢ નો કિલ્લો રાજસ્થાનનો સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લો છે. તેના ઇતિહાસ, બહાદુરી અને બલિદાનની વાર્તાઓ હજી પણ તેની નજીક રહેતા બાળકોને કહેવામાં આવે છે. તેમાની કેટલીક તો એટલી ભાવનાશીલ છે કે તમે જ્યાં જાઓ ત્યાં તે વાર્તાઓ તમારી સાથે આવતી હોય છે.

પરંતુ આ સિવાય, ચિત્તોડગઢનો કિલ્લો, તેની સુંદરતા માટે પ્રખ્યાત છે, ટાંકીઓ, શાહી મહેલો, મંદિરોની અનોખી કળા હૃદયને ખુશ કરી દે છે. મુખ્ય આકર્ષણોમાં, તમારે રાણા કુંભ પેલેસ, રાણી પદ્મિની પેલેસ, બડા મહેલ, રતનસિંહ પેલેસ, કંવર પેડનો મહેલ જોવા જ જોઈએ.

3. નાહરગઢ નો કિલ્લો

મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય તેની ઉનાળાની રજાઓ ગાળવા અહીં આવતા હતા. અરાવલીની ટેકરીઓ પર સમય પસાર કરવાનો આનાથી સારો મોસમ કયો હોઈ શકે છે. તેની દિવાલો જયગઢ કિલ્લાને મળે છે. તમને જયપુર જોવા માટે ભાગ્યે જ આનાથી વધુ સારી જગ્યા મળી શકે.

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 4/11 by Romance_with_India
Credit : Sarangib

અહીંના સુંદર સ્થળો પૈકી, તમારે મહેન્દ્ર ભવનની મુલાકાત લેવી જોઈએ, જે અહીંની સૌથી આકર્ષક ઇમારત છે. અહીં એક સંગ્રહાલય છે, જ્યાં પેઇન્ટિંગ્સ અને તે સમયની કલાની અન્ય વસ્તુઓ હાજર છે. ઉપર એક રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમે ચા અને ભોજનનો આનંદ લઈ શકો છો. આ કિલ્લો એટલો મોટો છે કે તમને ફરવા માટે એક દિવસનો સમય લાગશે.

4. અમ્બેર નો કિલ્લો

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 5/11 by Romance_with_India
Credit : Richard

આમેર કહો કે અમ્બેર, વાત એક જ છે. અરવલ્લી પર્વતો પર બનેલો આ કિલ્લો માઓટા તળાવની સામે જ છે. રાજા માન સિંઘ દ્વારા 16 મી સદીમાં બાંધવામાં આવેલ આ કિલ્લો હિન્દુ અને મોગલ કલાનું નિર્વિવાદ ઉદાહરણ છે. અહીંની ઇમારતોમાં વિશેષ દિવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, શીશમહાલ, સુખ નિવાસ, શીલા માતા મંદિર ખરેખર જોવા યોગ્ય છે. સાંજે લાઇટ અને મ્યુઝિક શો યોજવામાં આવે છે. જો તમે શ્રેષ્ઠ અનુભવ મેળવવા માંગતા હો, તો પછી સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આવો.

5. રણથંભોર કિલ્લો

રણથંભોરનું જંગલ ખૂબ પ્રખ્યાત છે, તેની વાર્તાઓ પણ. એ જ જંગલની વચ્ચે બનાવવામાં આવ્યો છે આ કિલ્લો. ભવ્ય, મજબૂત, જિંદાબાદ, આ કિલ્લો ઘણા આક્રમણોનો સામનો કર્યા પછી પણ જોમ સાથે ઉભો થયો છે. તેનો એક ભાગ, જેના પર ખૂબ હુમલો થયો હતો, તે ઘણા પ્રવાસીઓને આકર્ષિત પણ કરે છે. ગણેશ મંદિર, હમીર દરબાર, ધૌલા મહલ, જોગી મહેલ, શિવ મંદિર અહીંના આકર્ષક સ્થળો છે.

પરંતુ આ સિવાય તમે રણથંભોરના જંગલની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકો છો.

6. કુંભલગઢ નો કિલ્લો

કુંભલગઢ એ અરવલ્લી પર્વતો પર બીજો કિલ્લો છે. તેની ઐતિહાસિક કથાઓ માટે આ કદાચ સૌથી વધુ ચર્ચાયો હતો. તે 15 મી સદીમાં મહારાજા રાણા કુંભ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ચીની દિવાલ પછીની સૌથી લાંબી 36 કિ.મી.ની દિવાલ આ કુંભલગઢ કિલ્લાની છે.

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 7/11 by Romance_with_India

આ કિલ્લામાં 300 થી વધુ મંદિરો છે, આ ઉપરાંત ભવન, રહેવા માટેના ઘરો, બાવલીઓ, બડા મહેલ અને વિશેષ શિવ મંદિર. આ કિલ્લો તેના મહેમાનોને સાત મોટા દરવાજા સાથે આવકારે છે, જેનાથી તેના આકારમાં વૃદ્ધિનો અંદાજ લગાવી શકાય છે.

7. તારાગઢ કિલ્લો

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 8/11 by Romance_with_India
Credit : Wikimedia

જો તમારે ચૌહાણ વંશની કથા જોવી હોય, તો આ કિલ્લા પર આવો. તેના ઇતિહાસ માટે પ્રખ્યાત અને બુંદી ની શાન તારાગઢ કિલ્લો પ્રવાસીઓની પસંદમાં રહ્યો છે. પાણી બચાવતા જળાશયો અને ટનલને લીધે, તમે તે સમયના વિજ્ઞાનની  માહિતીનો અંદાજ લગાવી શકો છો.

રાની મહેલ અહીંની સૌથી આકર્ષક બિલ્ડિંગ છે. આ ઉપરાંત લક્ષ્મી પોલ, ફૂતા દરવાજા અને ગાગુડીના દરવાજા પણ જોવાલાયક સ્થળો છે. ભીમ બુર્જ અને ગરબા ગુંજન જોવા જરુર જાઓ.

8. લોહાગઢ નો કિલ્લો

ભરતપુરનો લોહાગઢ કિલ્લો એકમાત્ર કિલ્લો છે જે ક્યારેય મુઘલોના આક્રમણથી હાર્યો નથી. બ્રિટીશ લોકો આ કિલ્લા ઉપર ક્યારેય પોતાનો અધિકાર જમાવી શક્યા ન હતા. નામ સૂચવે છે તેમ, આ કિલ્લો સખત લડ્યો અને કદી હાર માની નથી.

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 9/11 by Romance_with_India
Credit : David Brossard

તેની રચના, સૂઝબૂઝ અને સમજણના સાક્ષી એવા આ કિલ્લામાં ઘણી જગ્યાઓ છે જેની તમારે અહીં આવવા સમયે મુલાકાત લેવી જ જોઇએ. તેમાં મહલ ખાસ, કિશોરી મહેલ અને કોઠી ખાસ પ્રખ્યાત છે. આ સિવાય અહીંના સંગ્રહાલય પણ જુઓ. સંસ્કૃતના જૂના સંગ્રહ અહીંનાં સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે, જે આજે આપણા માટે કેટલા કિંમતી શસ્ત્રો છે. જવાહર બુર્જ અને ફતેહ બુર્જ જોયા વિના મુસાફરી થોડી અધૂરી જણાશે.

9. જૂનાગઢ નો કિલ્લો

જૂનાગઢના કિલ્લામાં બીકાનેર વાસીઓનુ સન્માન રહે છે. આ કિલ્લો તેની સ્થાપત્ય કળા માટે પ્રખ્યાત છે. મહારાજા રાવ બિકાએ તેના નિર્માણનું ઉદઘાટન કર્યું, જે પછી રાજા જયસિંહ અને જહાંગીર દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યું. તે મુઘલો અને રાજપૂતો બંને દ્વારા બાંધવામાં આવ્યું હોવાથી, બંનેની નિશાનઓ હજી પણ અહીં હાજર છે, અને બ્રિટીશરોની પણ.

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 10/11 by Romance_with_India
Credit : Glavo

આ કિલ્લામાં કરણ મહેલ, ચંદ્ર મહેલ અને ગંગા મહેલ ખરેખર જોવા યોગ્ય છે, જેમાં ઘણી ઇમારતો, મંદિરો અને બગીચા શામેલ છે. કરણ આધારસ્તંભ, ચાંદ સ્તંભ અને ફતેહ સ્તંભ અહીંના સ્થાપત્યનો પરિચય આપે છે.

10. મેહરાનગઢ નો કિલ્લો

Photo of આ મજબૂત કિલ્લાઓ ભારત ના ગૌરવ છે! આમાંથી તમે કેટલા જોયા છે? 11/11 by Romance_with_India
credit : Tina

મેહરાનગઢ નો કિલ્લો જોધપુરના પર્વત પર બનાવવામાં આવ્યો છે. રાવ જોધાએ બંધાવેલો આ કિલ્લો જસવંતસિંહે પુરો કરાવ્યો  હતો. આ કિલ્લો ખુબ જ સુંદર હતો, અને કદાચ એટલે જ જયપુર અને બિકાનેર સેના દ્વારા સૌથી વધારે આક્રમણ આ કિલ્લા પર કરવામાં આવ્યું હતું. જય સ્તંભ, ફતેહ સ્તંભ અને લોહ સ્તંભ હજી પણ પુરાવા તરીકે જોવામાં આવે છે.

કિલ્લામાં સાત મોટા દરવાજા છે. મોતી મહેલ, ફૂલ મહેલ, શીશ મહેલ, સિલેહ ખાના અને દૌલત ખાના અહીંના મુખ્ય આકર્ષણો છે. અહીં સંગ્રહાલયમાં તે યુગના શસ્ત્રો, ફર્નિચર, પાલકીઓ મળશે, જે તે સમયની શાહી ચમકની જાણ આપે છે. જો તમે જોધપુરને ખૂબ નજીકથી જાણવા માંગતા હો, તો પછી અહીં આવવાની તક જરા પણ છોડશો નહીં.

તમને આ લેખ કેવો લાગ્યો, અમને કમેન્ટ બોક્સમાં કહો.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.