ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે

Tripoto
Photo of ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે 1/6 by Romance_with_India

એમ તો હિમાચલ પ્રદેશના દરેક ખૂણામાં સુંદરતા છવાયેલી છે, પરંતુ આ રાજ્યમાં નાના નાના ઘણા પડાવો છે જ્યાં સુકુન મળે છે. હિમાચલ પ્રદેશમાં આવો જ એક શાંત અને સુકુનદાઈ પડાવ છે ગુનેહર. ગુનેહર એક નાનકડું ગામ છે જેના વિશે પ્રવાસીઓ ખુબ ઓછું જાણે છે. અહીંની દિનચર્યા જોઈને તમને લાગશે કે તમે જૂના જમાનામાં આવી ગયા છો જ્યાં હજુ પણ કાચા મકાનો અને કાચા રસ્તાઓ છે. પહાડો પર ભરવાડો ઢોરને ચરાવતા હોય છે. હિમાચલ પ્રદેશના મોટા શહેરોમાં આ બધું જોવા મળતું નથી. આ માટે તમારે ગુનેહર જેવી નાની અને સુંદર જગ્યાએ આવવું પડશે.

હિમાચલ પ્રદેશમાં તો આવા ઘણા નાના નાના સ્થળો છે, તો પછી તમારે ગુનેહર જ શુ કામ જવુ જોઈએ? દરેક સ્થળની કેટલીક ખાસિયતો હોય છે, જે લોકોને તેની તરફ આકર્ષે છે. ગુનેહર પણ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ કેટલીક અસાધારણ વસ્તુઓ માટે પણ પ્રખ્યાત છે. ગુનેહર અગાઉ હિમાચલ પ્રદેશનું એક સામાન્ય ગામ હતું પરંતુ તેને પ્રવાસન સ્થળ બનાવવાનો શ્રેય એક જર્મન માણસને જાય છે જેણે આખા ગામને કેનવાસમા ફેરવી દીધું. ચાલો આ અસાધારણ ગામની યાત્રાએ જઈએ.

ગુનેહરની યાત્રા

આ ગામનું ચિત્ર બદલનાર સ્ચલિટમનનો જન્મ હેમ્બર્ગમાં થયો હતો. તેની માતા બંગાળી હતી અને પિતા જર્મન હતા. જ્યારે તેઓ ચાર વર્ષના હતા ત્યારે પ્રથમ વખત ભારત આવ્યા હતા. ફ્રેન્કનો ફોર ટેબલ પ્રોજેક્ટ આશરે આઠ વર્ષ પહેલા શરૂ થયો હતો. જેનો ધ્યેય વૈકલ્પિક અને સાર્થક જીવન માટે જગ્યા બનાવવાનો હતો. આ પરિપૂર્ણ કરવા માટે તેમણે તે ગામમાં સુંદર ગેલેરીઓ બનાવી, કાફે અને બુટિક ખોલ્યા. આમ કરવાથી ગામનું ચિત્ર તો બદલાયુ જ; પણ સાથે સાથે લોકોનું ભાગ્ય પણ બદલાઈ ગયું. આ કામોથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળી. ગામને સુંદર ચિત્રોથી શણગારવામાં આવ્યું, પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી. આ બધા ફેરફારો છતાં ગામને કોઈ પણ રીતે નુકસાન થયું નથી.

દિવાલો પર કળા

Photo of ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે 3/6 by Romance_with_India

કહેવાય છે કે કલા સુંદર પણ હોય છે અને સાથે જે તે સમયનુ પ્રમાણ પણ આપે છે. જો કોઈ સામાજિક સંદેશ આપવો હોય તો માત્ર કલાનો ઉપયોગ થાય છે. જ્યારે આ કલા ગાઢ જંગલો અને સુગંધિત બગીચાઓની હોય ત્યારે તે વધુ વાસ્તવિક દેખાવા લાગે છે. 'શોપ આર્ટ' હેઠળ ગુનેહરના દરેક ઘરે, દર ત્રણ વર્ષે વિવિધ પ્રકારની કળા બદલવામાં આવે છે. આ બધું નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

2013 માં ફ્રેન્કે 13 ઉભરતા કલાકારોને એક મહિના માટે ગામમાં આવી આર્ટ બનાવવા માટે આમંત્રણ આપ્યું. શોપઆર્ટનો ધ્યેય માત્ર ગામને સુંદર બનાવવાનો જ નહોતો, પણ ખાલી દુકાનો ભરવાનો પણ હતો. ગુનેહરમાં ભાગ લેનાર કલાકારોએ ગ્રામીણ જીવનને પોતાની કળામાં સમાવી લીધું છે. આ કલાકારોએ ગામની લાગણીઓને ખૂબ સારી રીતે દર્શાવી છે. હવે એવું થઈ રહ્યું છે કે ગુનેહરની જેમ બાકીના સ્થળો પણ પોતાને આ રીતે બનાવવા માંગે છે.

1 રુપિયાનુ સિનેમા

Photo of ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે 4/6 by Romance_with_India

ગુનેહરનું સૌથી આકર્ષક લક્ષણ કેએમ લોનું 'એક રૂપીયાનુ સિનેમા' છે. સિંગાપોરના પ્રખ્યાત ડિરેક્ટરે કંબોડિયા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને લાઓસમાં સિનેમા પર ઘણા વર્કશોપ યોજ્યા છે. ગુનેહરમાં બાળકોની વચ્ચે એક ખુણો એ તેમની સૌથી પ્રિય જગ્યા છે. તે બાળકો અને સ્થાનિક લોકોને સિનેમા વિશે જણાવે છે. કેમેરાવર્ક અને અન્ય ટેકનિક્સ વિશે પણ સમજાવે છે. તેમણે સ્થાનિક લોકોને એક રૂપિયામાં સિનેમા કેવી રીતે બનાવવું તે શીખવ્યું છે.

ઇન્દોરના પ્રખ્યાત કલાકાર મુદિતા ભંડારીએ અહીંના ઘરોની દિવાલોને સુંદર ચિત્રો, શંકુદ્રુપ પથ્થર અને સ્લેટમાં પરિવર્તિત કરી છે. તે ગુનેહરમાં વર્કશોપ કરે છે અને આશા રાખે છે કે અહીંની છોકરીઓ તે શીખે. રેના કુમારની ગુનેહર ફેશન શોપ ગુનેહરની મુલાકાતે આવનાર તમામ લોકો માટે જોવા જેવી છે. રેના કુમારની ગુનેશર ફેશન શોપ્સ, ગુનેહડની નિકટતા સાથે મુલાકાત લેનાર પ્રથમ સ્થાપનોમાંની એક છે. અહીં તમે લોકલ ધૂન સાંભળી શકો છો. આ સિવાય ગુનેહરની મહિલાઓ પરંપરાગત પોશાક બનાવવાનું કામ કરે છે. શહેરોમાં તેને ખૂબ પસંદ કરવામાં છે.

અહીં એક નદી વહે છે

Photo of ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે 5/6 by Romance_with_India

ગુનેહરમાં તમને સુશોભિત અને સુંદર દિવાલો મળશે. જો તમે ચાલતી વખતે ગામની ધાર પર જાઓ તો તમને કલકલનો અવાજ સંભળાશે. આ અવાજ ગામ નજીક જ વહેતી ગુનેહર નદીનો છે. આ નદી ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે, તમને નદીમાં ગંદકીનુ નામોનિશાન જોવા નહીં મળે. આ નદી લીલાછમ પહાડોથી ઘેરાયેલી છે. અહીંથી તમે વહેલી સવારે ઉગતા સૂર્યને જોઈ શકો છો. જે કોઈ પણ ગામની મુલાકાત લેવા આવે છે તેને અહીંના લોકો તેમની સાથે લાવેલા રેપર્સ અને બિસ્લેરી બોટલ પાછા લઈ જવાની વિનંતી કરે છે.

ફૂડ

સારા અને સ્વાદિષ્ટ ખોરાક માટે તમારે ફોર ટેબલ કાફેની મુલાકાત લેવી જ જોઇએ. જ્યાં ભોજન તમારા પોતાના ઘર જેવું જ લાગશે. અહિં જડીબુટ્ટીઓ સાથે પકાવેલુ ચિકન, બટાકા-પાલકની ચટણી સાથે પીરસવામા આવે છે. આવો સ્વાદિષ્ટ ખોરાક તમને ભાગ્યે જ બીજે ક્યાંય મળશે. કાફેમાં નાસ્તા માટે તમને પનીર, ફળ, તાજા શેકેલા બન અને ઇંડા મળશે.

ક્યાં રહેવું

Photo of ગુનેહર: માત્ર પહાડો અને હરિયાળી જ નહીં, અહીંની દીવાલોમાં પણ સુંદરતા ઝળકે છે 6/6 by Romance_with_India

ગુનેહરમાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ફોર ટેબલ હોટેલ છે. તેને એક જૂના અને જર્જરિત મકાનમાથી નાયાબ બનાવવામાં આવ્યું છે. તેમાં મોટી દિવાલ, અનેક રૂમ અને એક વરંડો પણ છે. સૌથી મોટી વાત એ છે કે અહીંથી તમને પહાડો અને જંગલનો અદભૂત નજારો જોવા મળે છે.

ક્યારે અને કેવી રીતે જવું?

ગુનેહરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જુલાઈ છે. તે સમયે અહીંનું તાપમાન 22 ° C થી 35 ° C વચ્ચે રહે છે. દિવસ દરમિયાન તાપમાન થોડું સામાન્ય હોય છે અને રાત્રે ઠંડી હોય છે. તમે ધર્મશાળાથી બે કલાકની ડ્રાઈવ દ્વારા ગુનેહર પહોંચશો. ગુનેહરની નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે. પઠાણકોટથી ધર્મશાળા 85 કિમી ના અંતરે છે. અહીં તમારે પગપાળા જ ફરવુ પડશે કારણ કે અહીં કોઈ લોકલ ટ્રાંસપોર્ટ ઉપલબ્ધ નથી.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.