દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો

Tripoto

આપણે વાત કરી રહ્યા છીએ ઝારખંડની.

હું છેલ્લા એક વર્ષથી ઝારખંડમાં રહું છું. જમશેદપુર રહેવા જવાનું છે તેવું કન્ફર્મ થયા પછી ખબર પડી હતી કે જમશેદપુર ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ઝારખંડ એટલે??? મહેન્દ્ર સિંઘ ધોનીનું રાજ્ય. બસ. મને ઝારખંડ વિષે બીજી કોઈ જ માહિતી નહોતી, કારણકે આ રાજ્ય ક્યારેય અન્ય કોઈ રીતે લાઇમલાઇટમાં રહ્યું જ નથી.

વર્ષ 2002 ની સાલમાં દક્ષિણ બિહારના 24 જિલ્લાઓને બિહારમાંથી અલગ કરીને એક નવા રાજ્યની રચના કરવામાં આવી. આદિવાસીઓની ભૂમિ અને ઝાડી-ઝાંખરાનો પ્રદેશ (ખંડ) એટલે ઝારખંડ.

Photo of Jharkhand, India by Jhelum Kaushal

મિનરલ્સથી ભરપૂર હોય તેવું ભારતનું કયું રાજ્ય છે?

આવો સવાલ મુકવામાં આવે તો તમારા મનમાં અનેક રાજ્યોના નામ આવશે પણ ખરેખર જે રાજ્ય અઢળક ખનીજો સમાવીને બેઠું છે તે યાદ જ નહિ આવે. દેશમાં કુલ ખનીજોના 40% માત્ર ઝારખંડ રાજ્યમાંથી મળે છે.

ચાલો, આ ખૂબ જ અન્ડરરેટેડ રાજ્ય વિષે કઈક અનોખી માહિતી મેળવીએ.

કોલ કેપિટલ: દેશમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન જ્યાં થાય છે તે ઝારખંડ રાજ્યમાં આવેલું ધનબાદ ‘કોલ કેપિટલ’ તરીકે ઓળખાય છે. ધનબાદમાં કુલ 112 કોલસાની ખાણ આવેલી છે જે 27.5 મેટ્રિક ટન જેટલા કોલસાનું ઉત્પાદન કરે છે.

Photo of દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો by Jhelum Kaushal

અખંડ ભારતનું પ્રથમ પ્લાન્ડ સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિના ચાલતું ભારતનું એકમાત્ર શહેર:

20 મી સદીની શરૂઆતમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના બાદ ભારતના સર્વ પ્રથમ પ્લાન્ડ સિટીની રચના કરવામાં આવી. આ વિષે મારો વિસ્તારપૂર્વક લેખ અહીં વાંચો.

Photo of દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો by Jhelum Kaushal

દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ: 66*99 ઇંચ મોટો અને 60 કિલો વજન ધરાવતો ભારતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ રાંચીના પહાડી મંદિર ખાતે લહેરાવવામાં આવ્યો છે.

Photo of દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો by Jhelum Kaushal

દેવઘર: ઝારખંડનો આ જિલ્લો તેના નામ પ્રમાણે મંદિરો માટે વિખ્યાત છે. અહીં દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવા બૈજનાથ મહાદેવ મંદિર ઉપરાંત નવલખા મંદિર, બસુકી નાથ મંદિર, શીતળા મંદિર વગેરે અનેક આકર્ષક મંદિરો આવેલા છે.

Photo of દેશમાં સૌથી વધુ ખનીજોથી સમૃદ્ધ રાજ્યને ઓળખો by Jhelum Kaushal

શિખરજી જૈન મંદિર, પારસનાથ: જૈન સમુદાયનું આ એક ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે. 24 પૈકી કુલ 20 તીર્થંકરોને આ સ્થળે મોક્ષ પ્રાપ્ત થયું હતું તેવું માનવામાં આવે છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ